રાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
World newsશાહરૂખ ખાનની લાઈફની સૌથી મોટી ફિલ્મમાં આ અભિનેત્રી કરી ચુકી છે કામ, જુઓ તસવીરો
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા શરૂ થયેલા ક્ષત્રિય સમાજના વિવાદનો આજે સુખદ અંત આવી ગયો છે. આ વિવાદનો અંત આવે તે માટે ગાંધીનગરમાં મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ્થાને મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સીઆર પાટીલ, હર્ષ સંઘવી સહિત ક્ષત્રિય સંકલન સમિતિના 15 સભ્યો હાજર રહ્યાં હતા. મોડી રાત્રે બે કલાક સુધી આ બેઠક ચાલી હતી. આ બેઠકમાં પણ વિવાદનો અંત આવ્યો નથી.
સંકલન સમિતિના સભ્યોએ કહ્યું કે- અમારી માંગ માત્ર રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની છે. તે સિવાય કોઈ વાત ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આંદોલન પાર્ટ-2 ચાલુ રહેશે અને અમે આંદોલન કરીશું. સંકલન સમિતિના સભ્યએ કહ્યું કે, અમે શાંતિથી વિરોધ કરીશું. વધુમાં જણાવ્યું કે, ભાજપની સભામાં વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આગળ શું કરવું તે અંગે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવશે.
"ક્ષત્રિય સમાજ આજે પણ નહીં અને કાલે પણ નહીં કરે સમાધાન": સરકાર સાથે મળેલી બેઠક પૂર્ણ થતા સમિતિની પ્રતિક્રિયાબેઠકની સામે આવેલી વિગત પ્રમાણે સરકારે કહ્યું કે, રૂપાલાએ બે વખત માફી માંગી છે. બીજો કોઈ રસ્તો કરો. પરંતુ સંકલન સમિતિએ કહ્યું કે- અમારી એક જ માંગ છે કે રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ્દ થાય. બીજીતરફ મળતી માહિતી પ્રમાણે સરકાર બે દિવસમાં સંકલન સમિતિ સાથે બીજી બેઠક કરી શકે છે. સરકારે સંકલન સમિતિને ભોજન માટે પણ આમંત્રણ આપ્યું છે.
Kshatriya Movement Rajkot Lok Sabha Seat Parshottam Rupala BJP Lok Sabha Election Padminiba Vala લોકસભા ચૂંટણી 2024 ક્ષત્રિય આંદોલન રાજકોટ લોકસભા સીટ પરશોત્તમ રૂપાલા ભાજપ લોકસભા ચૂંટણી પદ્મિનીબા વાળા
Malaysia Latest News, Malaysia Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
Read more »
ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યુંઅલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જેટલા જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે. આપણા વડીલોએ જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે. 19 તારીખે 5 વાગી ગયા પછી આ આંદોલન, આ ક્ષત્રિયોનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે. આવતા દિવસોની અંદર રૂપાલા સહિત બીજા 25ને પણ આ ગુસ્સો ઉડાવી દેશે.
Read more »
રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેKshatriya Asmita Maha Sammelan: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ગુજરાતમાં ક્ષત્રિયો અડગ છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
Read more »
લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
Read more »
ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતરૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
Read more »
જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
Read more »